મને એ ડાયલૉગ હજી બરાબર યાદ છેઃ
બા : “ગુણુ ! તને પાળા યોજનામાં આપણી જમીન સરકારે લીધેલી તે યાદ છે ?'
હું : “હા બા. પણ તેનું શું છે?'
બા : “તને યાદ છે કે સરકાર એ માટે વળતરની જે રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું?'
હું : હા, મને બરાબર યાદ છે.'
બા : “બેટા ! આપણે તો ધારેલું કે માંડ ચારેક હજાર રુપીયા આવશે પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું.
હું : “કેટલું?'
બા : “રુપીયા પચ્ચીસ હજાર.'
હું : “શું વાત છે, બા?'
બા : “પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં આપીશું. હવે રકમ મોટી આવી તેથી સંકલ્પ ન તોડાય. તને શું લાગે છે?'
હું : “બા, તારી વાત બીલકુલ સાચી છે અને હું રુપીયા પચ્ચીસ હજાર ઘરમાં ન લેવા માટે તારા જેટલો જ મક્કમ છું.'
બા : બસ, મને નીરાંત
શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી “વીવેકચુડામણી' ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રંશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.
એક્સ-રે
ખાલીપણું તો એકલાથી ન થયું સહન, પંખી નથી તો ડાળનો હીસ્સો નમી ગયો. એક પળ જે મારાથી અળગા નથી રહ્યા, એ કહે તારા વગર જીવી શકાય છે. સાવ સુક્કી ભઠ નદીની રેત પણ, બેઉ કાંઠે આજ ખળખળવા મથે.
* શરમ નથી આવતી *
આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર