બ્લડ ટેસ્ટ કરવા માટેની લેબોરેટરી છે. એલોપથી પાસે તત્કાળ રાહત આપનારી પેઈન કીલરની ગોળીઓ છે. ઓપરેશન માટે ક્લોરોફોર્મ અને લોકલ એનેસ્થેટીક માટેનું ઈન્જેક્શન છે. એલોપથીની દવા બજારમાં મુકાય તે પહેલાં વૈજ્ઞાનીક પ્રયોગોમાંથી પસાર થયેલી હોય છે, આમ છતાં બજારનાં બધાં દુષણોથી અને અવળી પ્રતીક્રીયાઓથી લથપથ એવી ઘણી દવાઓ ભોળા દરદીઓને ડૉક્ટર પધરાવતા જ રહે છે. પરીણામે હારેલા- થાકેલા લોકો અન્ય ચીકીત્સાપદ્ધતીઓ તરફ વળે છે. એમને બાબા રામદેવની વાતોમાં શ્રદ્ધા બેસે છે અને એ શ્રદ્ધા ખોટી પણ નથી. કુદરતી ઉપચાર કે આયુર્વેદ જીવવાની રીત છે, જીવનશૈલી છે. બધી ચીત્સાપદ્ધતીઓમાં કશુંક અનોખું હોય છે.
આયુર્વેદ પાસે સદીઓનું સંગ્રહીત ચીકીત્સા વીજ્ઞાન છે અને હરડે, ઈસબગુલ, હળદર અને લીમડા જેવી અસંખ્ય અસરકારક ઔષધીઓના ઉપચારોનો ખજાનો છે. પશ્ચીમમાં આયુર્વેદની બોલબાલા વધતી જ જાય છે. અરડુસીમાંથી ગ્લાયકોડીન બને છે.
તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્યળ બને ત્યારે ઈષ્ટ તો અંધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી- ગંધાતું પાણી પણ પી લે છે.'
બોલો! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.
ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે