* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
પડે તેવી શોધ એટલે ચક્રની શોધ. કાકાસાહેબ કાલેલકરે તો ચક્રની શોધ કરનારા એ અજાણ્યા જણને “ચક્રક્ષી' ગણાવેલો. તમે રોજ ખેતરે, ફેક્ટરીએ કે ઓફીસે જાવ ત્યારે સાયકલ, સ્કુટર કે કારમાં નથી જતા. તમે રોજ ચક્ર પર આરુઢ થઈને કાકા, મામા, ભાઈ, બહેન કે પ્રીયજનને ઘરે જાઓ છો. તમે સવાર-સાંજ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈને જે વાનગીઓ ખાઓ છો, તેને રાંધવાનું કામ અગ્નીદેવે કર્યું છે. અગ્નીની શોધ ન થઈ હોત તો માનવજાત જગલી પ્રાણીઓના અને ઠંડીના આકરા તોફાનો સામે ટકી ન હોત. તમે ટ્રેનનું,