* સીનીયર સીટીઝનનું સ્વરાજ *

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!

ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક


1 of 147

શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક “કોલમ્બસના હીન્દુસ્તાનમાં' માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ સાભાર...

* શું લીવ-ઈન રીલેશનશીપ અશ્લીલ છે ? *

જે સમાજ એક યા બીજે બહાને સેક્સને અપવીત્ર ગણે છે, તે આડકતરી રીતે માતૃત્વને અપમાનીત કરતો હોય છે. માતૃત્વ નામનું પુષ્પ, સેક્સના છોડવા પર જ ખીલતું હોય છે. પુષ્પને પવીત્ર ગણતો સમાજ છોડને અપવીત્ર ગણી શકે ખરો? જગતનો કોઈ ધર્મ કે કોઈ કાયદો, સાથે રહેવા માગતાં બે જણાંને (“મળેલા જીવ'ને) સહજીવન ગાળવાની મનાઈ ફરમાવી શકે નહીં.


221 of 244