* સીનીયર સીટીઝનનું સ્વરાજ *
સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: “સમય' અને “અવકાશ.' સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો "મોકળાશ" કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે!
ઘણાખરા સીનીયર સીટીઝનોને 'ગ્રહદશા' નહીં “આગ્રહદશા ' નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક
નથી. પુજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યન્ત આદરપુર્વક સરદાર પટેલને “સરદારસાહેબ' તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વીકાસ થયો ત્યારે ગટરનાં પાણીનો નીકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઈને અમદાવાદ મ્યુનીસીપાલીટીએ ગામલોકોને ગામ ખાલી કરવાના હુકમની તૈયારી કરી. નરહરી પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યાવીદ્યાલયમાં નડીયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું : “તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં