સુખી થવાની ઝંખનાનો આદર ક્રકષીએ કર્યો છે. આદર્શને નામે સુખી થવાની ઝંખનાનો અનાદર કરવાનું નવી પેઢીને મંજુર નથી. ચેન્નાઈથી ગ્રાન્ટ ટ્રન્ક એક્સપ્રેસમાં દીલ્હી જાવ ત્યારે, નાકલીલાનો અદ્ભુત અનુભવ થશે. કેવળ ગંધ ઉપરથી તમે સ્ટેશનનું નામ કહી શકો. ટ્ટ્રેન જેવી મદ્રાસ સેન્ટ્રલ પરથી ઉપડે પછી ઉડીપી રેસ્ટોરાંમાંથી પ્રસરતી ઈડલી-સાંભારીયા સોડમની જગ્યાએ કેમીકલ્સની ગંધ શરુ થાય ત્યારે જાણવું કે તમારી ટ્રેન ઔદ્યોગીક ઝોનમાંથી પસાર થઈ રહી છે. રાત પુરી થાય અને આંધ્રપ્રદેશનાં વીશીષ્ટ અથાણાંની વીશીષ્ટ ગંધ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રસરી જાય છે. મધ્યપ્રદેશમાં ટ્રેન પ્રવેશે અને નાગપુર સ્ટેશન આવે ત્યાં નારંગીની સુગંધ પોતાનો પરચો બતાવે છે. એ સ્ટેશને પુરી-શાક વેચનારા ફેરીયા તમને કેવળ ગંધથી જ પ્રભાવીત કરી મુકે છે. ઉત્તરપ્રદેશ શરુ થાય પછી ઈટારસીના સ્ટેશને ગરમ ગરમ જલેબીની સોડમ તમને લલચાવે છે. પછી મથુરા આવે ત્યારે રેવડી અને
રહ્યું છે. પ્રત્યેક પતીએ અને પીતાએ માતૃત્વદીક્ષા પામવી જોઈએ. ક્યાંક બાળકોને ઓછો સમય આપનારો કે ઓછું વહાલ કરનારો શુષ્ક અને કર્મઠ પીતા જોઉં ત્યારે મને એ અંગત દુશ્મન જેવો લાગે છે. આ અંગે બાકીની વાત મારાં સંતાનો કરે તે જ વાજબી ગણાય. મારી માનસીકતાને કારણે હું એવા અવૈજ્ઞાનીક અને આધારહીન અભીપ્રાય પર આવ્યો છું કે જે ઘરમાં માતા કે પીતા અથવા બન્ને જાહેર કાર્યકર્તા હોય તે ઘરે બને ત્યાં સુધી દીકરી આપવાનું ટાળવું. જાહેર કાર્યકર હોય એવી સાસુના વજન હેઠળ ક્યારેક એની પુત્રવધુની કુંવારી આકાંક્ષાઓ