સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવીત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુમ્બઈમાં મોરારજીભાને નીવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઈ ગુસ્સે થયા અને એમણે મહારાજને કડવા શબ્દોમાં અપમાનીત કર્યા.( પાદટીપ : મોરારજીભાઈના એ કડવા શબ્દો હું જાણું છું; તોય અહીં લખી શકું એમ નથી - લેખક) બન્ને વચ્ચે બોલવાનો સમ્બન્ધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઈન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઈ ઉપવાસ પર ઉતર્યા. એમની સભા સામે “જનતા કરફ્યુ*નું એલાન થયું. મહારાજ જાણી જોઈને અમદાવાદથી દુર જ રહ્યા. મોરારજીભાઈના ઉપવાસ છોડાવવામાં તેઓ ઘણા મદદરુપ થાય તેમ હોવા છતાં; મહારાજ મોરારજીભાઈને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યાં વર્ષો પછી મોરારજીભાઈનો વીનયપુર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભીજાત્ય પ્રગટ કરીને સાનુકુળ પ્રતીભાવ આપ્યો. બન્ને
જણાય તેથી મજબુરીને કારણે સ્વમાન ભંગ ન થતો હોય તોય મન આળું બની જાય છે. ક્યારેક નકારાત્મક અભીગમ અપનાવાઈ જાય છે. નીન્દાકુથલી વહાલાં લાગવા માંડે છે. બધું બગડવા બેઠું હોય તેવી વાતો સ્વાદીષ્ટ લાગવા માંડે છે. જુનો જમાનો આપોઆપ ભવ્ય જણાય અને આજનો જમાનો પતીત જણાય ત્યારે અચુક જાણવું કે સાઠ વર્ષ વીતી ગયાં છે.
કેટલાક સમજુ માણસો ઉપર જણાવેલી પીડાઓથી આબાદ બચી જઈને સાઠ પછીનાં વર્ષોને સહજ આનન્દથી છલકાવી દે છે. સાઠ વર્ષના આદમીને એક લાડકું વ્યસન અને એક ખાનગી લત(Passion)